બારૈયા મૂળશંકરભાઈ ભાઈશંકરભાઈ કે જેમનો જન્મ 05/05/1956 ના રોજ થયો હતો. જેમનું મૂળ વતન ગુજરાત રાજ્ય (ભારત)ના ભાવનગરમાં આવેલ તળાજા તાલુકાનાં શેંત્રુંજી નદીના કિનારે આવેલ ટીમાણા ગામ છે. જેમના પિતાનું નામ ભાઈશંકરભાઈ તથા માતાનું નામ અજવાળીબેન બારૈયા છે. જેઓએ લાંબા સમય સુધી ઓલ ઈન્ડિયા પાલિવાલ બ્રહ્મ સમાજ પ્રમુખ તરીકે ફરજ બજાવીને સમાજ સેવાનું કાર્ય કર્યું છે. તેઓ નહિ કે માત્ર પાલિવાલ બ્રહ્મ સમાજ, પણ બધા જ સમાજ માટે સમાજ સેવકની ભૂમિકા ભજવીને દરેક સમાજમાં આદર્શ બન્યા હતા.